લખાણ પર જાઓ

વીરપર (તા. જામનગર)

વિકિપીડિયામાંથી
વીરપર
—  ગામ  —
વીરપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′N 70°04′E / 22.47°N 70.07°E / 22.47; 70.07
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જામનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,
ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી

વીરપર (તા. જામનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. વીરપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વીરપર ઊંડ નદી ના કાંઠે આવેલું ગામ હતું. આ નદી પર ઊંડ-૧ ડેમ બનવાને કારણે અછતગ્રસ્ત ગામમાં આવવાથી આ ગામના લોકોને નવા ગામો વસાવાની નોબત આવી.[સંદર્ભ આપો] આ નવા ગામોમાં ભરતપુર, નંદપુર, ગાયત્રીનગર, નવા વીરપર, વિજયપુર તથા અમરાપુર જેવા ગામોનો સમાવેશ થાય છે. હાલમાં વીરપર ગામની જૂની જગ્યામાં રામદેવ આશ્રમ આવેલ છે. જ્યાં રામદેવજી મહારાજ ઉપરાંત હનુમાનજી મહારાજ, મહાદેવ તેમજ મોમાઈમાતાજીના મંદિરો આવેલા છે.

જામનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન